અત્યારે એક એવી ભયંકર ઘટના સામે આવી છે. જેને જાણ્યા બાદ ત્યાં આસપાસ ઉભેલા લોકોના મગજ કામ કરતા બંધ થઈ ગયા છે. આ ચોકાવનારી ઘટના બિહારના સુપોલ જિલ્લામાંથી પસાર થતી બગલા નદીને કિનારે આવેલા કબ્રસ્તાન માંથી સામે આવી છે. આ કબ્રસ્તાનમાં જ્યારે પણ ગામના લોકોનું મૃત્યુ થઈ જાય ત્યારે તેને ત્યાં દફનવિધિ ની કામગીરી કરવામાં આવતી હતી.
આ કબ્રસ્તાન ગામડાથી થોડે દૂર હોવાને કારણે ત્યાં લોકોની અવરજવર ખૂબ જ ઓછી હતી. આ ઉપરાંત ત્યાં દેખરેખ રાખવા માટે જે વ્યક્તિને પગાર આપવામાં આવતો હતો એ વ્યક્તિ પણ ત્યાં બરાબર દેખરેખ ન રાખતો હોવાથી અત્યારે ત્યાં ખૂબ જ મોટો હોબાળો સર્જાઈ ગયો છે.
ગામમાં એક જ સાથે ત્રણ બાળકોના મૃત્યુ થઈ ગયા ત્યારે ત્રણેય બાળકોની લાશને આ કબ્રસ્તાનની અંદર દફન કરી દેવામાં આવી હતી. ગામમાં મોતનો માતમ છવાઈ ગયો હતો અને સૌ કોઈ લોકોએ અશ્રુભીની આંખે આ ત્રણે બાળકોને અંતિમ વિદાય આપી હતી. જ્યારે આ દફનવિધિનો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો..
એના બીજા દિવસે સવારમાં તેના પરિવારજનો ત્યાં ફૂલ ચડાવવા માટે પહોંચ્યા ત્યારે તેઓએ જોયું તો તેમના ત્રણે બાળકોની લાશને કબર માંથી ખોદીને બહાર કાઢીને ગાયબ કરી દેવામાં આવ્યું હોય તે પ્રકારનો દ્રશ્ય સર્જાઈ ગયું હતું. આ ત્રણેય કબરોને ખોદી નાખવામાં આવી હતી અને અંદરથી લાશ ગાયબ હતી..
જ્યારે આ ઘટનાના સમાચાર વાયુવેગે ગામડાના લોકો સુધી પહોંચ્યા ત્યારે ગામમાંથી સૌ કોઈ લોકો અહીં આવી પહોંચ્યા હતા અને ખૂબ જ મોટો હોબાળો સર્જાઈ ગયો હતો. સૌ કોઈ લોકો એક જ પ્રશ્ન પૂછી રહ્યા હતા કે, આખરે આ ત્રણે બાળકોની લાશ માત્ર 24 કલાકની અંદર કેવી રીતે ગાયબ થઈ શકે છે..? કોઈ વ્યક્તિએ ખોદકામ કરીને બહાર કાઢી લેવામાં આવી હોય તેવું લાગતું હતું..
પરિવારજનો એ તરત જ પાવડા વડે અન્ય જગ્યાએ પણ ખોદકામ કરીને જોવાની કોશિશ શરૂ કરી દીધી હતી કે, શું તેમના બાળકોની લાશને કોઈ વ્યક્તિ અહીંથી ખોદીને બીજી જગ્યા પર દફનાવી દીધી નથી કે શું..? ઘણી બધી મહેનત અને મથામણ કર્યા બાદ પણ આ ત્રણેય બાળકોની લાશનો ક્યાંયથી અતો પત્તો મળી આવ્યો નહીં..
આ ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. આ મામલો એટલો બધો ગંભીર હતો કે, તેની નજરે જોનારા લોકો તો સામસામે ઉઠ્યા હતા. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચ્યો અને આસપાસના લોકોનું નિવેદન નોંધવામાં આવ્યું ત્યારે કેટલાક લોકોએ આ નિવેદનોમાં જણાવ્યું હતું કે, આ માત્ર એક બનાવ નથી..
આજથી છ મહિના પહેલા પણ બે બાળકોની લાશને દફન કરવામાં આવી એના 24 કલાકની અંદર જ આ લાશને અહીંથી ગાયબ કરી દેવામાં આવી હતી. કેટલાક લોકોનું કહેવું છે કે ગામના અમુક લોકો લાશને ફરી પાછા પ્રાણ આપવાની કોશિશ કરવા માટે અહીંથી દફન કરેલી લાશોને બહાર કાઢી રહ્યા છે..
જ્યારે છ મહિના પહેલા આ ઘટના બની હતી ત્યારે બાળકોની લાશના હાથ અને પગને કા.પીને લઈ જવામાં આવ્યા હતા. જ્યારે બચેલું શરીરને ત્યાં ને ત્યાં જ મૂકી દેવામાં આવ્યું હતું. આ ઘટના આટલી બધી ભયંકર છે કે, આ કેસને સુલજાવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. કેટલાક લોકો તો આ ઘટનાને તંત્ર મંત્ર સાથે જોડી રહ્યા છે..
તો કેટલાક લોકો હવે આ કબ્રસ્તાન પાસેથી પસાર થવા પર પણ ડર લાગી રહ્યો છે. અત્યારે પોલીસ આ ઘટનાની માહિતીઓને આધારે આગળની તપાસ ચલાવી રહી છે. આ કબ્રસ્તાનનું ધ્યાન રાખનાર વ્યક્તિને પણ પકડી પાડીને તેની પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]