2 દીકરીને મૂકીને પરણીતાએ ઝેરી ઘૂંટડા પીઈને જીવન ટુંકાવ્યું, પિયરેથી પરિવાર સાસરે પહોચતા જ ડોળા ફાડી ગયો.. વાંચો…!

અત્યારે એક પરણીતાના મૃત્યુનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના બિહારના ભોજપુરની છે. જ્યાં આહીરપુરવા મહોલ્લામાં વોર્ડ નંબર 29 માં રવિ કુમાર તેમની 28 વર્ષની પત્ની સંધ્યા કુમારી તેમજ તેના માતા પિતા અને બહેન સાથે રહે છે. તેના લગ્ન 2013 માં સંધ્યાકુમારી સાથે થયા હતા..

રવિ અને સંધ્યાના લગ્ન વખતે સંધ્યાના પરિવારજનોએ ચીજ વસ્તુઓ તેમજ પૈસા દેવામાં કોઈ પણ વસ્તુ બાકી રાખી હતી નહીં. લગ્નના બે વર્ષ સુધી તો લગ્નજીવન ખૂબ જ સારું ચાલ્યું પરંતુ ધીમે ધીમે કાળી કરતુતો સામે આવી હતી અને નાની નાની બાબતોને લઈને અવાર નવાર ઝઘડાઓ થતા હતા..

મોટા ભાગે ઝઘડા કોઈ એક વ્યક્તિના કારણે થતા હોતા નથી. બંને વ્યક્તિનો સરખો વાંક હોવાને કારણે ઝઘડો પેદા થતો હોય છે. પરંતુ આ ઝઘડાને ભુલાવી દઈને નવું જીવનની શરૂઆત કરવી એને જ સાચો પરિવાર કહેવાય છે. પરંતુ સાસરીયા વાળા લોકોએ આ ઝઘડાને ભુલાવી દેવાને બદલે પરણીતાને ઢોરમાર મારીને ત્રાસ આપવા લાગ્યા હતા..

જ્યાં સુધી રવિ કુમારનો બિઝનેસ ખૂબ જ સારો ચાલ્યો ત્યાં સુધી તો પરણીતાને કશો વાંધો હતો નહીં. પરંતુ જ્યારથી બિઝનેસ ઠપ થવા લાગ્યો ત્યારથી સાસરિયાવાળા લોકો તેને વધુ માર મારવા લાગ્યા હતા. એક દિવસ સંધ્યા કુમારી એ તેની માતાને ફોન કરીને કહ્યું હતું કે, મને પેટમાં દુખાવો થઈ રહ્યો છે.

અને મેં મારા પતિ તેમજ સાચો સસરાને કહ્યું કે, મારે દવાખાને જવું પડશે અને પેટમાં દુખાવા અંગે દવા લેવી છે. તો તેઓએ મને રૂમમાંથી બહાર કાઢીને ઢોર માર્યો હતો. જેના કારણે હવે આ પેટનો દુખાવો ખૂબ જ વધારે વધી ગયો છે. અને મારી હાલત પણ બગડવા લાગી છે. આખરે સંધ્યાકુમારીના માતા-પિતાને પણ જાણ થઈ ગઈ હતી કે, તેમની દીકરી સાસરીયે સુરક્ષિત નથી..

સાસરીયા વાળા લોકો તેના પર ખૂબ જ ચડી આવે છે અને બેફામ વર્તન કરે છે. એક દિવસ લગભગ રાતના 11 વાગ્યા આસપાસ સંધ્યાકુમારીના સગા ભાઈ ઉપર એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેમાં તે બોલી રહ્યો હતો કે, તમારી બહેનનું સાસરીય મૃત્યુ થયું છે. તેવું લાગી રહ્યું છે..

કારણકે તમારી બહેનના સાસરીયા વાળા ઘરે ઘણા બધા લોકો એકઠા થઈ ગયા છે. તો હોસ્પિટલે લઈ જવાની કામગીરીઓ પણ શરૂ કરવામાં આવી છે. આ સમાચાર સાંભળતાની સાથે જ સંધ્યાકુમારીની માતા પિતા અને સંધ્યા કુમારીનો ભાઈ આ ત્રણેય વ્યક્તિઓ સંધ્યાકુમારીના સાસરે પહોંચી ગયા હતા..

અને ત્યાં જઈને જોયું તો તેમની દીકરી મૃત હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તેઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનને હાજર થઈને જાણકારી આપી હતી. સંધ્યા કુમારીના મોટાભાઈએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના જમાઈ રવિ કુમાર તેમજ સંધ્યા કુમારીની સાસુ, નણંદ અને તેના સસરા તેને મારપીટ કરીને ઝેરી પદાર્થ ખવડાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી છે..

સંધ્યાને લગ્ન જીવન દરમિયાન બે દીકરીઓ પણ છે. જેમાં આઠ વર્ષની પ્રિયાંશી અને પાંચ મહિનાની ગોપીનો પણ સમાવેશ થાય છે. આ બંને દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. હાલ આ ઘટનાને લઈને ઘરમાં ચારેકોર અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો છે. સાસરિયાવાળા લોકોનું કહેવું છે કે, સંધ્યા કુમારીએ ઝેરના ટુકડા ખાઈને આપઘાત કરી લીધો છે..

તો સંધ્યા કુમારીના માતા પિતા અને ભાઈનું કહેવું છે કે, તેમની દીકરીનો જીવ લેવામાં આવ્યો છે. અને ત્યારબાદ તેને ઝેરી ટીકડા પીવડાવીને મોતને ઘાટ ઉતારી દીધી છે. હાલ આ ઘટનાને લઈને ચારે કોર ચકચાર મચી જવા પામ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment