રોજબરોજ ઘણી બધી પરણીતાઓ પોતાના સાસરીયે ખૂબ જ માઠું સહન કરી રહી છે. કેટલીક પરણીતાઓ પોતાના સાસરિયાંઓને માઠું સહન કરવા પર મજબૂર બનાવે છે. તો કેટલાક સાસરીયાના લોકો પણ પરણીતા સાથે દૂર વ્યવહાર કરે છે. ખેડા જિલ્લામાં વધુ એક પરણીતા ઉપર વધારે અત્યાચારનો એક બનાવ સામે આવી ગયો છે..
આ મામલો ઠાસરામાંથી સામે આવ્યો છે. કઠલાલ તાલુકાના ચાચરીયાની મુવાડી ગામમાં અજીતભાઈ ફુલાભાઈ બારૈયા રહે છે. તેમની બંને દીકરીઓ ના લગ્ન ભુપતભાઈ લક્ષ્મણભાઈ ચાવડાના બંને દીકરાઓ સાથે કરવામાં આવ્યા હતા. તેમના લગ્ન ખૂબ જ ધામધૂમથી અને જ્ઞાતિના રિતી રિવાજથી થયા હતા…
મોટી દીકરી તેના પતિ તેમજ ઘર સંસાર સાથે ખૂબ જ ખુશ હતી. પરંતુ તેમની નાની દીકરી આશા સાથે પરિવારજનો ખૂબ જ દૂર વ્યવહાર કરી રહ્યા હતા. આશાબેનનો પતિ અર્જુનભાઈ ભુપતભાઈ ચાવડા તેમજ આશાબેનની સાસુ રમીલાબેન ભુપતભાઈ ચાવડા બંને આશાબેન ને ખૂબ જ ત્રાસ પહોંચાડી રહ્યા હતા..
ઘરના કામકાજને લઈને અવારનવાર ઝઘડો પણ કરવા લાગતા હતા. આશાબેન ખૂબ જ દુઃખી થઈ જાય ત્યારે અંતે તેઓ કંટાળીને પોતાના પિયરે આવી જતા હતા. પરંતુ ત્યાં તેના પિતા ઘર સંસાર બગડે નહીં. એટલા માટે તેને સમજાવીને પરત સાસરે મૂકી જતા. આશાબેન ને વિચાર્યું કે, એક વખત તેમના દીકરા કે દીકરીનો જન્મ થશે ત્યારબાદ પરિવારમાં બધું સારું થઈ જશે..
થોડા જ સમયમાં તેઓ એક પુત્રને જન્મ આપ્યો છે. આજે 11 મહિનાનો થઈ ગયો છે. છતાં પણ તેમના પરિવારમાં કોઈ સુધારો થયો નહીં અને તેની સાસુ તેમજ તેનો પતિ તેને વારંવાર ત્રાસ પહોચાડવા લાગ્યો હતો. એટલા માટે આશાબેન વધુ એક વખત પોતાના પતિ સાથે આવી ગયા હતા. પરંતુ ત્યારબાદ પિતાએ થોડા દિવસમાં તેને સમજાવટ કરી સાસરે મૂકી આવ્યા હતા..
તેઓએ વિચાર્યું કે, હવે મારી દીકરીને કોઈ દુઃખ ન આવે તો સારું.. પરંતુ હવે તેમની વહાલસોયી દીકરી આશા બહેન મારી સાસરે આવી જવાને બદલે એવું પગલું ભરી લીધું છે કે, જેના કારણે પરિવારજનો ઉભા રોડે દોડતા થયા છે. હકીકતમાં એક દિવસ પછી ઝઘડો થયો અને આશા બહેને માઠું લાગી ગયું તેઓએ રોજ રોજના ત્રાસથી કંટાળી જઈને રવાલિયા ગામ પાસેથી પસાર થતી એક કેનાલમાં ધૂબકો લગાવી મોતને વ્હાલું કરી દીધું હતું..
આ કેનાલના ઉપર વાસમાંથી ખૂબ જ વધારે પડતું પાણી છોડવામાં આવ્યું હતું. એટલા માટે તેઓ જેવા પાણીમાં કુદીયા કે વહેણમાં વહેતા થઈ ગયા હતા. આ નહેરની આસપાસના વિસ્તારોમાં પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ આશાબેનની કોઈ પણ પ્રકારની ભાળ મળી હતી નહીં અને છેલ્લે મહુધા તાલુકાના નિઝામપુર ગામ પાસેથી આ કેનાલ પસાર થાય છે..
ત્યાં કેનાલના કાંઠે આશાબેનનો મૃતદેહ તણાઈ આવ્યો હતો. જ્યારે જાણ થઈ કે આશાબેનનું મૃત્યુ થઈ ચૂક્યું છે. ત્યારે સાસરીયાના લોકો ખૂબ જ હેબતાઈ ગયા હતા. જ્યારે આશાબેનના માતા પિતા અજીતભાઈ ફુલાભાઈ ખૂબ જ દુઃખી થયા છે. તેઓ તાત્કાલિક પોલીસ મથકમાં દોડી જાય તેમની દીકરીના પતિ અર્જુનભાઈ ભુપતભાઈ ચાવડા તેમજ તેમના સાસુ રમીલાબેન ભુપતભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે..
પોલીસે પણ ફરિયાદ નોંધ એ વધુ તપાસ હાથ ધરી છે. રોજ રોજ ની માથાકૂટો સહન ન થતાં પગલું ભરી લીધું હતું. પરંતુ તેમનો 11 મહિનાનો દીકરો હવે માતાની છત્રછાયા ગુમાવી બેઠો છે. તેઓ એક પણ વાર તેમના દીકરાનો વિચાર કર્યો હતો નહીં, અને કેનાલમાં ધૂબકો મારી મોત અને વહાલું કરી લીધું છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]