અત્યારે માત્ર 11 દિવસની એક દીકરી વેલાશ ગામના એક તળાવમાંથી મળી આવતા હલ્લો મચી ગયો હતો. આ બનાવો ઉત્તર પ્રદેશના મથુરાના બાના ગામમાંથી સામે આવ્યો છે. આ દીકરીએ 42 વર્ષના સત્યપાલની હોવાનું સામે આવ્યું છે. સત્યપાલ એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની દીકરી અચાનક જ ગાયબ થઈ ગઈ છે..
માત્ર 11 દિવસની દીકરીને કોણ ઉપાડીને ચાલ્યું ગયું હશે. તેની જાણકારી મેળવવા માટે પોલીસ કરતી હતી. આ બનાવને લઈને તેની પત્ની તેમજ અન્ય પરિવારના સભ્યો પણ ખૂબ જ નારાજ હતા. પરિવારજનો એ ઘણી શોધખખોળ કરી પરંતુ તેનો કોઈ પણ ફાયદો ન થતા પોલીસે અપહરણનો ગુનો નોંધીને બાળકને શોધવા લાગ્યા હતા.
એવામાં ગામના પાદરે રહેલા તળાવમાંથી એક નવજાત બાળકની લાશ મળી આવતા સત્યપાલ અને તેની પત્નીને જાણ કરીને ત્યાં બોલાવવામાં આવ્યા હતા. આ દીકરી તેમની જ હતી. ત્યારબાદ પોલીસે આ બંને વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી હતી જેમાં સત્યપાલ ની કડક પૂછતાછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેને કબુલી લીધું હતું કે, તેને ઉંમર 42 વર્ષની થઈ ગઈ છે..
તેમજ તેના મોટા દીકરાની ઉંમર 19 વર્ષની જ્યારે એના સિવાય બે દીકરીઓ કે જેમાં એક છ વર્ષની દીકરી અને એક ત્રણ વર્ષની દીકરીનો સમાવેશ થાય છે. આમ ત્રણ બાળકો હોવા છતાં પણ તેની પત્ની એક દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારે આ દીકરીને જન્મ આપ્યો ત્યારે તે વિચારવા લાગ્યો કે, હવે સમાજ મને શું કહેશે..
આ ઉંમરે પણ તે બાળકને જન્મ આપી રહ્યો છે. આ ઉપરાંત તેને સમજના કડવા વેણ વચનો સાંભળવાનો વારો ન આવે એટલા માટે તેણે તેની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે. પરંતુ આ બધું અત્યારે વિચારવા કરતાં તેને પહેલા વિચારવાની જરૂર હતી. બાળકીનો જન્મ થયા બાદ તેનો જીવ લેવો એ ખૂબ જ મોટું પાપ કહેવાય..
જો તેને આ બાળકી જ ન જોતી હતી. તો તેને જન્મ આપવાનું વિચારાય પણ નહીં. આ નિવેદનો સાંભળ્યા બાદ સૌ કોઈ લોકો સત્યપાલ ઉપર ખૂબ જ રોષે ભરાયા છે. કારણ કે તેણે માત્ર 11 વર્ષની એક દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે. તેને પોલીસને જણાવ્યું હતું કે, જ્યારે રાત્રિના સમયે ભોજન કર્યા બાદ ઘરના સભ્ય સૂઈ ગયા ત્યારે 11 મહિનાની આ દીકરી તેવી માતા પાસે આવી હતી.
ત્યારે તેને દીકરીને ઉપાડીને તેને ઝેર આપી દીધું હતું. અને ત્યારબાદ તેને ગામમાં તળાવમાં ફેંકી દીધી હતી. તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ તેને ઝેર આપ્યા હોવાની માહિતી સામે આવતા જ સૌ કોઈ લોકોના માથા હલભલી ગયા હતા. આખરે એક પિતાએ શા માટે તેની દીકરીની હત્યા કરી હશે તે વિચારવા પર મજબૂર બન્યા હતા..
પરંતુ આ પિતા સમાજે શું કહેશે તેવું વિચારીને પોતાની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. તેને એક પણ વાર વિચાર ન આવ્યો કે, આ નવજાતને ઉપર શું વીતી હશે કે, જ્યારે તેનો જીવ રીબાઇ રિબાઈને ગયો હશે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]